Sihor

સંપર્ક સે સમર્થન ; ભરતભાઇ મેરની વિશેષ ઉપસ્થિતિમાં સિહોર ખાતે અગ્રણીઓની મુલાકાત

Published

on

દેવરાજ

વડાપ્રધાન મોદીની સરકારને કેન્દ્રમાં હાલ નવ વર્ષ સંપન્ન થઈ રહ્યા છે. જેને પગલે દેશભરમાં ‘સંપર્ક સે સમર્થન’ યોજનાના ભાગરૂપે સમગ્ર જૂન મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે આજરોજ સિહોર ખાતે સંપર્ક સે સમર્થન અભિયાન અંતર્ગત શહેરના રાજુભાઈ સીતારામ સાડી,પી,એસ શાહ,મહેશભાઈ લાલાણી, ડો, રાજુભાઈ પાઠક ની મુલાકાત કરવામાં આવી હતી આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રભારી બ્રીજરાજ સિંહ ઝાલા,ભાવનગર જિલ્લા મહામંત્રી ભરતભાઈ મેર,સોશિયલ મીડિયા સૌરાષ્ટ્ર કન્વીનર અભયસિંહ ચાવડા,સિહોર શહેર પ્રમુખ ડી.સી.રાણા,મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર ,યુવા મોરચા પ્રમુખ રૂપેશ રોજીયા,યુવા મોરચા મહામંત્રી દિનેશ ચૌહાણ, હેડલી શાહ,પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ બુઢનપરા,કિશનસિંહ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

contact support; Visit of pioneers at Sihore in special presence of Bharatbhai Mer

આ તકે ભરતભાઇ મેર દ્વારા મીડિયાને જણાવ્યુ હતું કે, છેલ્લા નવ વર્ષમાં ભાજપની સરકારે માત્ર વિકાસ જ નહીં પરંતુ ઉત્તમ કાર્યની ભેટ પ્રજાને આપી છે. મોદી સરકાર લોકોને નવી નવી સુવિધાઓ આપે છે જે ખૂબ જ મહત્વનું છે. ઉપરાંત મહિલાઓની રક્ષા માટે પણ સરકાર કાર્યરત છે જેમાં તીન કલાક હોય કે નારી સુરક્ષા હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. સરકારના ઘણા કાર્યો સેવાકીય પણ છે…

Exit mobile version