Bhavnagar

ચિત્રા માર્કેટિંગ યાર્ડમા ડુંગળીની બોરીના લાગ્યા થડકલા

Published

on

પવાર

  • સિહોર સહિત ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણામા ડુંગળીનુ વ્યાપક વાવેતર : વાહનોની કતારો લાગી : બન્ને યાર્ડમા ૩ લાખ બોરીના સમાવેશની ક્ષમતા

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ સિહોર સહિત ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ગઈકાલે રવિવારે ડુંગળીની ધુમ આવક થઈ હતી. ચિત્રા માર્કેટ યાર્ડમાં ડુંગળીને વધુ સમાવવાની વ્યવસ્થા નહીં હોવાથી નારી ચોકડી પાસે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું હતુ. ત્યાં ગઈકાલે રવિવારના રોજ ટ્રેક્ટર, ટેમ્પા સહિતના વાહનોમાં લાલ ડુંગળીની અવિરત આવક થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે ખેડૂતોને ડુંગળીમાં ભાવ ઓછા મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શનિવારે ટેકાના ભાવ ૭૦ થી ૨૧૦ સુધી બોલાયા હતા. રવિવારે મોડે સુધી ડુંગળીની આવક શરૂ રહેવાની સંભાવના છે. ઓછા ભાવ છતાં ખેતરોમાં ડુંગળી તૈયાર થઈ ગઈ હોવાથી ફરજિયાત માર્કેટ યાર્ડમાં લાવવી પડે છે.

Chitra marketing yard, sacks of onions were rustled

યાર્ડમા રવિવા૨ે ડુંગળી ઉતારવા દેવામાં આવતા બન્ને યાર્ડમા ડુંગળીની બોરીઓના થપ્પા લાગી ગયા હતા અને વાહનોની લાઈનો લાગી હતી. મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડ એમ બન્ને યાર્ડમા થઈને ૩ લાખ બોરી સમાવી શકાય છે. ગઈકાલે રવિવારે ડુંગળી ઉતારવામા આવતા સાંજ સુધીમા ૨,૭૫,૦૦૦ જેટલી બોરીની આવક થવાનો અંદાજ હોવાનુ યાર્ડના સુત્રોએ જણાવ્યુ હતુ. ડુંગળીના લઘુતમ ટેકાના ભાવ ૭૦ થી ૨૧૦ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. સાંજ સુધીમા બન્ને યાર્ડમા ડુંગળીનો ભરાવો જઈ જશે તો આગામી બે દિવસ ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાશે એમ યાર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. ગયા વર્ષે ખેડૂતોને ડુંગળીમા ઓછા ભાવ મળ્યા હતા ત્યારે સરકારે સબસીડી આપવામાં આવી હતી હતી તો આ વર્ષે પણ સબસિડીની જાહેરાત કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે

Exit mobile version