Sihor
દર્શન સોલંકીને ન્યાયની માંગ સાથે સિહોરમાં કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
દેવરાજ
- આ કેન્ડલ માર્ચમાં દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે SIT રચના કરવા માંગણી કરાઈ છે. તમને જણાવી દઇએ કે, 12મી ફેબ્રુઆરીએ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ મુંબઈમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો
બોમ્બે આઈઆઈટીમાં બીટેકનો અભ્યાસ કરવા ગયેલા અમદાવાદના યુવાનના મોતનો મામલો વકર્યો છે. ગત 12 તારીખે બોમ્બે આઈઆઈઆઈટીના વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતુ મુકી આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી. જો કે અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીના પરિવારજનોએ આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
બીજીતરફ પરિવારને મળવા આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ ઘટનામાં કંઈક રંધાયું હોવાનો આક્ષેપ કરી આ ઘટનામાં રેગીંગ કે કાસ્ટ ડિસ્ક્રીમીનેશનની શંકા વ્યક્ત કરી છે અને આ મામલે બે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી તપાસની માંગ કરી છે. ત્યારે આજે દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સિહોરમાં આયોજન કરાયું હતું, જેમા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે સિહોર એકતા સોસાયટી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કેન્ડલ માર્ચમાં દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે SIT રચના કરવા માંગણી કરાઈ છે. તમને જણાવી દઇએ કે, 12મી ફેબ્રુઆરીએ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ મુંબઈમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. મુંબઈ આઇઆઇટીમાં દર્શનને શિડ્યુલ કાસ્ટનો હોવાથી માનસિક હેરેસ કરવામાં આવતા હોવાનો પરિવારજનોનો એ આરોપ લગાવ્યો છે. અહીં દલિત સમાજના આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.