Botad
બોટાદ લઠ્ઠાકાંડ : નાની માછલીઓજ જેલમાં છે : હાઇકોર્ટ
પવાર
ગત જુલાઈમાં સર્જાયેલા ઝેરી-કેમીકલ-દારૂ કાંડમાં હાઈકોર્ટના અનેક પ્રશ્નો, જેલમાં રહેલા બુટલેગરની ભૂમિકા શું હતી? શું કેમીકલ ઝેરી છે તે બુટલેગરને ખબર હતી? રાજય સરકારનો જવાબ મંગાવ્યો
જુલાઈમાં સર્જાયેલા બોટાદ-લઠ્ઠાકાંડમાં હાલ જેલમાં રહેલા બુટલેગર વિજય પઢીયારની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા ગુજરાત હાઈકોર્ટ રાજય સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. જો કે આ લઠ્ઠાકાંડમાં ઝેરી કેમીકલવાળા- શરાબ કે પછી કેમીકલનો નશો કરવાથી 46 લોકો માર્યા ગયા. કુલ 82 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હતા પણ પોલીસે તેને ઝેરી શરાબને બદલે કેમીકલકાંડ ગણાતી રાજયમાં શરાબ બંધીમાં પોલીસ નિષ્ફળતા છુપાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં જે બુટલેગર્સ મનાતા વિજય પઢીયારને જુલાઈ 2022માં ઝડપી લેવાયા બાદ આજ દિન સુધી તે જેલમાં છે અને તેણે જામીન અરજી કરતા હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં આ કહેવાતા બુટલેગરની ભૂમિકા શું તે પ્રશ્ર્ન પૂછયો હતો અને હાઈકોર્ટે સરકારને એ પણ નિરીક્ષણ કર્યુ કે જે કંપની તરફથી આ ઝેરી કેમીકલ પુરુ પાડવામાં આવ્યું હતું તે કંપનીના સંચાલકે આગોતરા જામીન મેળવ્યા પછી કદી ધરપકડ પણ કરવામાં આવી નથી.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિર્જર દેસાઈએ કહેવાતા બુટલેગર વિજય પઢીયારની જામીન અરજી પર સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું જેણે અમદાવાદની એમો કોર્પોરેશનના ગોડાઉનમાંથી આ કેમીકલ મેળવ્યું હતું. સંચાલકોએ જણાવ્યું કે આ કેમીકલ વિજય પઢીયારને વેચાયું તે તેમને ખ્યાલ પણ ન હતો અને તેઓએ આ લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવાની નેવીક તૈયારી દર્શાવી હતી. કંપનીના કર્મચારીએ ગોડાઉનમાંથી બારોબાર કેમીકલ વેચી માર્યુ હતું. સુનાવણી સમયે બચાવ પક્ષના ધારાશાસ્ત્રીએ દલીલ કરી કે પઢીયારે શરાબનું બેરલ પીંટુ રસીકભાઈ પાસેથી મેળવ્યું હતું અને તેણે ત્રણ અન્યને વેચ્યું હતું. આ સમયે જસ્ટીસ દેસાઈએ ટીપ્પણી કરી કે નાની ‘માછલી’ઓ જ જેલમાં છે અને સરકારને એ પણ જવાબ આપવા કહ્યું કે શું તમો (બુટલેગર્સ) આ શંકાસ્પદ શરાબના ઉત્પાદનમાં પણ સામેલ હતા અથવા શું તેઓ જાણતા હતા કે આ કેમીકલ ઝેરી બની શકે છે. જેમાં ફરિયાદ પક્ષે ચાર્જશીટનો ઉલ્લેખ છે તે વાંચના દર્શાવ્યું કે પીન્ટુ રસીકભાઈ પાસેથી જે કેમીકલ તેણે ખરીદ્યુ છે તે ઝેરી પ્રકારનું છે. હાઈકોર્ટ હવે તા.12 જુનના ફરી સુનાવણી કરશે