Bhavnagar

ભાવનગરમાં થેલેસેમિયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો ; 49 લોકોએ રક્તદાન કર્યું

Published

on

પવાર

ભાવનગર ખાતે થેલેસેમિયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં રાજવી યુવરાજ જયવિરાજસિંહજી ગોહિલ, ટ્રાફિક પી.આઈ. ઝાલા, અગ્રણી ઉધોગપતિ મુન્નાભાઈ વરતેજી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર બ્લડ બેંક ખાતે ગઈકાલે શનિવારે સાંજે થેલેસેમિયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો હતો.

Blood donation camp held for Thalassemia patients in Bhavnagar; 49 people donated blood
Blood donation camp held for Thalassemia patients in Bhavnagar; 49 people donated blood

ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવિરાજસિંહજી ગોહિલ, ભાવનગર ટ્રાફિક પી.આઈ. ડી.પી. ઝાલા, અગ્રણી ઉધોગપતિ મુન્નાભાઈ વરતેજી, મનિષભાઈ શાહ, અજીતસિંહ વાજા સહિતના અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ રકતદાન કેમ્પમાં ૪૯ સેવાભાવીઓએ રકતદાન કર્યુ હતુ અને મહિપાલસિંહ આર. ગોહિલને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ શકતવીર રકતદાતા હનુમંતસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતી.

Exit mobile version