Bhavnagar
ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપટર દ્વારા ઈ- શ્રમ કાર્ડ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાશે
કુવાડિયા
તા ૧૩ અને ૧૪ સોમવાર અને મંગળવાર બે દિવસ સિહોરના મરજીહોલ ખાતે કેમ્પનું આયોજન થશે ; યોજનાના લાભો વિશે માર્ગદર્શન અપાશે
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી શ્રમિકોને પાયાની સુવિધાઓ આપવામા આવી રહી છે. જે અંતર્ગત સિહોર ખાતે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન કેમ્પ યોજવામા આવનાર છે ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. જાગૃતિના અભાવે ઘણા કામદારો યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. તમે ઇ શ્રમ પોર્ટલ વિશે માહિતી આપવા અને રજિસ્ટ્રેશન માટે શ્રમિકો જાગૃત થાય તે માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપટર દ્વારા ઈ- શ્રમ કાર્ડ અંગે માર્ગદર્શન કેમ્પ આગામી તા૧૩ અને ૧૪ સોમવાર અને મંગળવાર બે દિવસ મરજીહોલ ખાતે આયોજન થશે કરાયું છે.
જે કેમ્પમાં યોજનાના લાભો વિશે માર્ગદર્શન અપાશે આ અંગે દિપકભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના અસંગઠિત કામદારોની માહિતી એકત્ર કરવા અને તમામ મજૂરોના ડેટાબેઝને એક જગ્યાએ એકત્ર કરીને, આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલા કામદારો જેમ કે બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય સંગઠિત કામદારોને આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય સહિતના યોજનાકીય વિવિધ લાભ આપી તેમના જીવન સ્તર ઉંચો સુધારો લાવવા સરકાર સક્રિય પ્રયાસ કરી રહી છે કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.