Bhavnagar

ભાવનગર ; 2 લાખથી વધુના દાગીના સાથે ઘરફોડ ચોરી કરતી ત્રિપુટી ઝડપાઇ

Published

on

દેવરાજ

ત્રણેય આરોપીઓ 11 ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું

ભાવનગર શહેર જિલ્લામાં ઘણા સમયથી ઘરફોડ ચોરી કરતી ગેંગ તેમજ ધોળા દિવસે ચોરી કરી નાસી જતા તસ્કરોને ઝડપી લેવામાં પોલીસ સક્રિય હતી તે વેળાએ ઘરફોડ ચોરી કરતી ત્રિપુટી પોલીસના હાથે લાગી છે ત્યારે 2 લાખ થી ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે. સાથે સાથે ઘરફોડ ચોરીના 3 ગુનાને ભેદ પણ ઉકેલાયો હતો. ભાવનગર જિલ્લાના કલ્યાણપુર ચોકડી ખાતે ત્રણ શખ્સો પ્લાસ્ટીની થેલીમા સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડા રૂપીયા પ્લાસ્ટીકની થેલીઓમાં લઇને મો.સા સાથે ઉભા હોવાની અને દાગીના તથા રોકડ તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની બાતમી આધારે તપાસ કરતા અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ જાપડીયા (રહે.ચામુંડામાતાના મંદિર પાસે,તુરખા જી.બોટાદ), ભરત ઉર્ફે પથુ મનુભાઇ જસમતભાઇ વાઘેલા (રહે.નવાણીયા તા.વલ્લભીપુર જી.ભાવનગર), અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ ભાકાભાઇ વાઘેલા (રહે.જામવાળી રોડ શક્તિનગર દે.પુ વાસ,પાલીતાણા) પાસેથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના કુલ રૂા. 2,09,689ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Bhavnagar; Burglary trio caught with jewelry worth more than 2 lakhs

ઘરફોડ ચોરી સાથે ભાવનગરના વલ્લભીપુર, બોટાદના બે ગુના સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેમજ ત્રણેય શખ્સો ઉપર જુદા જુદા પોલીસ મથકોમાં 9 જેટલા ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું. જેમાં અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઈ ઝાપડીયા વિરૂદ્ધ રાજકોટના ગોંડલ તાલુકામાં બે ગુન્હા તેમજ વિંછીયા ગામે એક જ્યારે ભરત ઉર્ફે પથુ વિરૂદ્ધ રાજકોટના ભાડલા પોલીસ ચોકીમાં બે ગુન્હા તેમજ અજીત ઉર્ફે ટીહલો પુનાભાઈ વાઘેલા સામે ભાવનગરના સોનગઢમાં એક, બોરતળાવમાં એક તેમજ કચ્છના ભુજમાં એક ગુન્હો નોંધાયેલ છે.

Advertisement

Exit mobile version