Sihor

સિહોર નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિતે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઇ

Published

on

Pvar

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે કન્યા વિધાલય વળાવડ સિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અન્વયે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા કન્યા વિધાલય વળાવડ, સિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ જેમાં જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી મહેતા, દ્રારા મહિલાઓને કાયદાકીય અંગે સમજ આપવામાં આવેલ તેમજ કન્યા વિધાલયના આચાર્ય અમીનભાઈ ચૌહાણ દ્રારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું.

Awareness camp on women welfare schemes held on the occasion of Sihore Nari Vandan Utsav Week

મહિલા બાળ અધિકારીશ્રી, દ્રારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી તેમજ આઈ.સી.ડી.એસ. સિહોર કચેરીના સી.ડી.પી.ઓ.શ્રી, દ્રારા કિશોરીઓને પુર્ણા યોજના અંગે માહિતી આપેલ, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી.

Exit mobile version