National

ઇમ્ફાલમાં બીજેપી નેતાઓના ઘર સળગાવવાનો પ્રયાસ, ગઈકાલે ટોળા દ્વારા કેન્દ્રીય મંત્રીના આવાસને સળગાવી દેવામાં આવ્યું હતું

Published

on

મણિપુરમાં હિંસાની ઘટનાઓ ફરી સામે આવી છે. ટોળાએ ઇમ્ફાલ પેલેસ મેદાનની નજીકના એક ગોડાઉનમાં આગ લગાવી અને પછી ભાજપના નેતાઓના ઘરોને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ હિંસક લોકોએ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હતું.

આરએએફના જવાનો સાથે લોકોની અથડામણ થઈ હતી
જ્યારે મણિપુરના રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોએ ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ તેમની સાથે ઘર્ષણ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે આરએએફના કર્મચારીઓએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, કારણ કે ટોળાએ આસપાસની અન્ય ખાનગી મિલકતોને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સુરક્ષા દળો અને ટોળા વચ્ચે અથડામણમાં બે ઘાયલ
ઇમ્ફાલ શહેરમાં ટોળાં અને સુરક્ષા દળો વચ્ચે રાતભર થયેલી અથડામણમાં બે નાગરિકો ઘાયલ થયા છે. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ગોળીબારના અહેવાલ છે.

manipur violence people set fire manipur cabinet government house

ઇરિંગબામ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટનો પ્રયાસ
ઇમ્ફાલ પશ્ચિમના ઇરિંગબામ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટનો પ્રયાસ થયો હતો. જો કે, કોઈ શસ્ત્રો ચોરાયા ન હતા. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર રેપિડ એક્શન ફોર્સે રાજ્યની રાજધાનીમાં મધરાત સુધી સંયુક્ત કૂચ કરી તોફાનીઓને ભેગા થતા અટકાવ્યા.

1000 લોકોના ટોળાએ હુમલો કર્યો
લગભગ 1000 લોકોના ટોળાએ ઇમ્ફાલ પેલેસ મેદાનની નજીકની કેટલીક ઇમારતોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. RAFએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ પણ ચલાવી.

Advertisement

MLAના ઘરને આગ લગાડવાનો પ્રયાસ
બીજી તરફ ટોળાએ ધારાસભ્ય બિસ્વજીતના ઘરને પણ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરએએફ કોલમે ભીડને વિખેરી નાખી હતી. અન્ય કેટલાક લોકોએ મધ્યરાત્રિ પછી સિંજમાળમાં બીજેપી કાર્યાલયને ઘેરી લીધું હતું, પરંતુ સૈન્યની ટુકડી દ્વારા તેને વિખેરી નાખવામાં આવતાં કોઈને નુકસાન થયું ન હતું.

એ જ રીતે, ટોળાએ મધ્યરાત્રિની આસપાસ ઇમ્ફાલમાં પોરમપેટ નજીક ભાજપના મહિલા મોરચા પ્રમુખ શારદા દેવીના ઘરની તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં સુરક્ષા દળોએ યુવકોનો પીછો કર્યો હતો.

Exit mobile version