Bhavnagar

મુખ્યમંત્રી ના હસ્તે અનવી ઝાઝરૂકિયા ‘જીનીયસ યોગિની ઓફ ધ યર’ એવોર્ડ થી સન્માનિત.

Published

on

બરફવાળા

પ્રધાનમંત્રી એ આ દીકરીનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમ માં પણ કર્યો છે, દિવ્યાંગ દીકરી માત્ર 14 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી એવોર્ડ, રાષ્ટ્પતિ એવોર્ડ, ગુજરાત ગરિમા એવોર્ડ સહિત એવોર્ડ મેળવી ચૂકી છે.

ગુજરાત રાજ્યના ગૌરવ સમાન મૂળ ભાવનગરની અનવી ઝાઝરૂકિયા નેશનલ યોગ ચેમ્પિયન દીકરી છે, આ દીકરી માત્ર 14 વર્ષની છે અને ડાઉન સિડ્રોમ નામની બીમારી થી પીડિત છે, છતાં પણ યોગ ક્ષેત્રે તેમને સમગ્ર દેશમાં અનેરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અનવી ને તાજેતરમાં પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી, આ ઉપરાંત ખૂબ નાની ઉંમરે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગરિમા એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી છે. માનસિક દિવ્યાંગ પીડિત અનવી સમગ્ર દેશ માટે ‘રબ્બર ગર્લ્સ ‘ તરીકે નામના મેળવી છે, તાજેતરમાં અનવી, પિતા વિજયભાઈ, માતા અવનિબેન, તળાજા આરાધ્યા સ્કૂલ ના સંચાલક વૈભવ જોષી સહિત પરિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની દિલ્હી ખાતે મુલાકાત કરી હતી.

Anvi Zazrukiya honored with the 'Genius Yogini of the Year' award by the Chief Minister.

પ્રધાનમંત્રી એ 40 મિનિટ સુધીનો સમય ફાળવી યોગ માર્ગદર્શન સહ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી, પ્રધાનમંત્રી એ આ દીકરીનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમ માં પણ કર્યો હતો અને આ દીકરી યુવાનો માટે રોલ મોડેલ ગણાવી હતી. તાજેતરમાં આજે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની મુલાકાત કરી હતી, તાજેતરમાં મળેલ ” જીનિયસ યોગિની ઓફ ધ યર”ના એવોર્ડ માટે શુભકામનાઓ પાઠવી સન્માનિત કરી હતી. સાથે સાથે ભવિષ્ય માટે ખૂબ અનેક શુભેચ્છાઓ પણ પાઠવી. મુખ્યમંત્રીશ્રી ઘણી પ્રેરણાદાયક વાતો રજૂ કરી અને સમગ્ર રાજ્યમાં “કરો યોગ રહો નિરોગ” અભિયાન ને કઈ રીતે સરકારના સાથ થી આગળ વધારી શકાય તે અંગે ચર્ચા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. એક માનસિક પીડિત દિવ્યાંગ દીકરી તેના પિતા વિજયભાઈ, માતા અનવીબેન અને માર્ગદર્શન વૈભવ જોશી, તળાજા સહયોગ થી આજે સમગ્ર દેશ અને રાજ્યના યુવાનો માટે આદર્શ વ્યક્તિત્વ તરીકે ઉભરી રહી છે. સમાજ સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.

Advertisement

Exit mobile version