Gujarat
અખાત્રીજના કષ્ટભંજન દેવ દાદાને કેરીનો દિવ્ય શણગાર-અન્નકૂટ
દેવરાજ
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ની કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અખાત્રીજને શનિવાર નિમિત્તે તા.22ના શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 5-30 કલાકે મંગળાઆરતી પૂજારી સ્વામી તથા 7 કલાકે શણગાર આરતી પ.પૂ.શા. ડો. સંતવલ્લભદાસજી સ્વામી- મુખ્ય કોઠારી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કરવામાં આવેલ.
દાદાના સિંહાસનને કેરીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તથા વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મ. કષ્ટભંજનદેવના દર્શને સાળંગપુર ધામ પધારેલ તેમજ બપોરે 11-10 કલાકે દાદાને કેરીનો અન્નકુટ ધરાવવામાં આવેલ. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભકતો લઈ ધન્યતા અનુભવી હતી. તસ્વીરમાં પ્રથમ કષ્ટભંજન દેવ હનુમાન દાદાને કેરીનો શ્રૃંગાર, બીજી તસ્વીરમાં વડતાલ ગાદી પીઠાધિપતિ આ.ની રાકેશપ્રસાદજી મહારાજનું સ્વાગત કરતા સંત, ત્રીજી તસ્વીરમાં આ.શ્રી રાકેશપ્રસાદજી મહારાજ નિરીક્ષણ કરતા ચોથી તસ્વીરમાં ઉપસ્થિત હરીભકતો છેલ્લી તસ્વીરમાં આ.શ્રી રાકેશપ્રસાદજી મ. સાથે સંતો તતા મહાનુભાવો દ્દષ્ટિગોચર થાય છે.