Sihor
સિહોરમાં જોખમી ઈમારતો મોટી દુર્ઘટના સર્જે તેવી દહેશત, થોડા દિવસ પહેલા જૂનાગઢમાં થયેલી દુર્ઘટનામાં ચાર લોકોના જીવ ગયા હતા
મેટર
- આજે ભાવનગરમાં બનેલી દુર્ઘટનામાં એક મહિલાનો જીવ ગયો, અનેક ઇજાગ્રસ્ત થયા, સિહોરમાં પણ પુનરાવર્તન અહીં થઈ શકે છે. જોખમી ઇમારતો મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં કાર્યવાહી જરૂરી, માત્ર નોટિસો આપીને કામગીરી કરવાનો કોઈ મતલબ ખરી.?
ભાવનગર કે જૂનાગઢ વાળી સિહોરમાં થાય તો નવાઈ નહિ કારણકે સિહોર શહેરમાં અસંખ્ય જર્જરીત મિલ્કતો હોવા છતાં નગરપાલિકાના બાંધકામ ખાતાના જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે. આવી મિલ્કતોના માલીકો સામે નોટીસ પણ આપવામાં આવતી નથી કે, કોઈ પગલા લેવામાં આવેલ ન હોય જર્જરીત મકાનો ગમે ત્યારે પડશે ત્યારે મોટી જાનહાનીની શકયતા સેવાઈ રહેલ છે. સિહોર શહેરના દરેક વોર્ડ અને દરેક ખાંચા,ગલી,રસ્તાઓ તેમજ વિવિધ વિસ્તારોમાં ચોમાસાના કારણે સાવ જર્જરીત અથવા તો કેટલીક પડી ગયેલ છે. અને બાકીની મિલ્કતો પડુ પડુ થઈ રહી હોય તે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરી શકે છે. આવી મિલ્કતોની આસપાસ અનેક રહિશો રહેતા હોય સવારથી સાંજ સુધી લોકો અને વાહનોની સતત અવરજવર શરૂ રહેતી હોય છે.
જેથી આવી મિલ્કતો ગમે ત્યારે પડશે ત્યારે વાહનચાલકો અને રહીશોને મોટી જાનહાનીની શકયતા હોય તેમ છતાં નગરપાલિકાના બાંધકામ ખાતાના જવાબદાર અધિકારી દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને આવી કોઈપણ મિલ્કતોનો સર્વે કરીને મિલ્કતધારકોને નોટીસ અપાઈ નથી. જો કોઈ લોકો દ્વારા લેખીત ફરીયાદ કરાય ત્યારે ચીફ ઓફિસર દ્વારા આવી અરજી ઉપર બાંધકામના અધિકારીને લખાય છે કે, આવા મિલ્કતધારકો સામે તાત્કાલીક નોટીસ કાઢવી.બાંધકામ ખાતાના કર્મચારીઓ દ્વારા નોટીસો તૈયાર કરાય છે પરંતુ આવી નોટીસો ઉપર જવાબદાર અધિકારીઓ સહિ કરતા ન હોવાથી પ થી ૭ દિવસ સુધી નોટીસની બજવણી થઈ શકતી નથી તેથી ત્યાં આગળ જાનહાની થવાની શકયતા રહેલી છે. સિહોર પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આવી જર્જરીત મિલ્કતોનો સર્વે કરી મિલ્કતધારકો સામે નોટીસની બજવણી કરી દંડ વસુલવાની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.