Sihor

સિહોરમાં સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા વહીવટીતંત્ર સુસજ્જ : મામલતદાર જોગસિંહ દરબાર

Published

on

પવાર

વાવાઝોડાના પગલે ડે કલેકટર અને મામલતદાર જોગસિંહ દરબારનું સતત મોનીટરીંગ, બન્ને અધિકારીઓ સમગ્ર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં

સિહોર પંથકમા સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા સ્‍થાનિક વહીવટીતંત્ર સુસજ્જ હોવાનો મામલતદાર જોગસિંહ દરબારે દાવો કર્યો છે. મામલતદાર જોગસિંહ દરબારના જણાવ્‍યા અનુસાર ડે કલકેટર દિલીપસિંહજી વાલાની રાહબરી હેઠળ સંભવિત વાવાઝોડાની સ્‍થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રએ આગોતરૂ આયોજન કર્યુ છે. તમામ કર્મચારીઓને રજા પરથી ડયુટી પર સ્‍ટેન્‍ડ ટુ હેડ કવાર્ટર હાજર રહેવા સુચના અપાઈ છે.

Administration well equipped to deal with possible cyclone in Sihore: Mamlatdar Jogsingh Darbar

સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો સહયોગ લેવાયો છે, ફૂડ પેકેટસ્‌ સહિતની સામગ્રી તૈયાર રાખવા અપીલ કરાઈ છે. પીજીવીસીએલને લટકતા વાયરો દૂર કરવા,જરૂરી સમારકામ ત્‍વરિત કરવા સુચના અપાઈ છે. માર્ગ-મકાન વિભાગને રોડ-રસ્‍તાઓ પરના અડચણરૂપ વળક્ષો દૂર કરવા,જરૂરી નિરિક્ષણ ત્‍વરિત કરવા સુચના અપાઈ છે. નગર પાલિકાને શહેરી વિસ્‍તારમા આવેલા બોર્ડ હોર્ડીંગ ખસેડી લેવા સુચના અપાઈ છે. કર્મચારીઓને રજા પરથી હાજર થઈ જે તે વિભાગના કર્મચારીઓને સ્‍ટેન્‍ડ ટુ હેડ કવાર્ટર ખાતે હાજર રહેવા સુચના અપાઈ છે.આમ વહીવટીતંત્રએ સંભવિત વાવાઝોડાની સ્‍થિતિને પહોંચી વળવા આગોતરૂ આયોજન કર્યુ હોવાનુ મામલતદાર જોગસિંહ દરબારે જણાવ્‍યુ છે.

Advertisement

Exit mobile version