Bhavnagar

અધેલાઈ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યા મોત

Published

on

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને નારી 108ની ટિમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

accident-between-car-and-truck-near-adhelai-5-people-including-a-child-died-gruesomely

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે, આ બનાવની જાણ થતાં પોલીસ તથા નારી 108 ટીમના ઈએમટી હિરેન રાઠોડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું. કેટલાક મૃતદેહોને ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા.

accident-between-car-and-truck-near-adhelai-5-people-including-a-child-died-gruesomely

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજસ્થાનનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 બાળક, 2 મહિલા અને 2 પુરૂષોનાં મોત નિપજ્યાં હતા. 5 લોકોનાં મોતના સમાચારથી ભારે ગમગીની પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અને 108ની ટીમ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભાવનગરથી ઘટનાની ગંભીરતા જોતા ડોક્ટરની એક ખાસ ટીમ પણ રવાના કરવામાં આવી હતી. જો કે અકસ્માતમાં કોઇ પણ બચી શક્યું નહોતું. 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતક પૈકી 1 વ્યક્તિ મહાવીરકુમાર રતનલાલ જૈન હોવાનું સામે આવ્યું છે.

Trending

Exit mobile version