Bhavnagar

મતદારોનો અનોખો અંદાજ, સભામાં ન ગયા પણ મત આપવા પહોંચી ગયા

Published

on

કુવાડિયા

  • લોકોને સભા-ભાષણોમાં નિરસતા, માત્ર કામમાં અને મનોરંજન કાર્યક્રમમાં રસ  : ખુદ વડાપ્રધાનની સભામાં જ્યાં ખુરશીઓ ખાલી રહી ત્યાં પણ ભાજપનો વિજયવાવટો

ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ વગેરેએ સભાઓ સંબોધી હતી, માત્ર વડાપ્રધાને જ એક ડઝનથી વધુ સ્થળે સભા સંબોધી હતી અને ખાસ કરીને આચારસંહિતાના અમલ વખતે યોજાયેલી સભાઓમાં તદ્દન પાંખી કે પાંખી હાજરી દેખાઈ હતી પરંતુ, ભાષણ સાંભળવામાં રસ નહીં લેનાર લોકો પછી મત આપવા અને કાર્યકરો મત અપાવવા ઉત્સાહભેર પહોંચી ગયા હતા તે હવે પ્રતિપાદિત થયું છે. લોકોને સભા અને તેમાં પુનરાવતત ભાષણોમાં હવે બદલાતા સમયની સાથે અરુચિ અને નિરસતા આવી રહ્યા છે. વારંવાર સભાઓ અને તે માટે ટ્રાફિક જામ ,ભીડ સહન કરવી, સિક્યુરિટીને કારણે કામકાજ છોડીને કલાકોનો વધારે પડતો સમય આપવો હવે પરવડતો નથી. લોકો અને કાર્યકરોએ જાણે મેસેજ આપ્યો છે કે સભા-ભાષણમાં કંટાળો આવે છે, પણ મત આપશું અને અપાવીશું.

આચારસંહિતા વખતે યોજાયેલી સભાઓ શુષ્ક રહી હતી પરંતુ, જે તે વિસ્તારના કાર્યકરોએ મતદાનના દિવસે ભાજપ તરફી ઉત્સાહભેર કામ કર્યું છે. ચૂંટણી પરિણામોએ એ પણ પૂરવાર કર્યું છે કે સભા,રેલીમાં જંગી મેદનીથી જીતની કોઈ ગેરેંટી નથી અને પાંખી હાજરીથી હારવાનો ડર રાખવાની જરુર નથી. કોઈ પણ સ્થળે સભામાં કોણ શુ બોલ્યું તે આજના ડીજીટલ યુગમાં દેશભરમાં લોકો જોઈ જાણી લેતા હોય છે, મોટાભાગના ભાષણો ચીલાચાલુ હોય છે અને વાયરલ પણ થતા નથી પણ વિવાદી નિવેદન વાયરલ થાય છે. અને તેથી પણ સભા હવે આઉટ ઓફ ડેટ બનતી જાય છે અને લોકોને નેતાઓ પ્રતિ નહીં, સભા પ્રતિ કંટાળો આવવા લાગ્યો છે.

Exit mobile version