Sihor

સિહોરમાં નિવૃત્ત રેલ કર્મચારીનો ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત

Published

on

દેવરાજl

જે ટ્રેનમાં ટીકીટ ચેકર તરીકે નોકરી કરી તેને જ મોતની સીડી બનાવી લેતા પરિવારમાં ગમગીની

સિહોરમાં રેલવેના નિવૃત્ત કર્મચારી એવા વિપ્ર આધેડ એ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા વહોરી લીધો હતો. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોરમાં દાદાની વાવ, ગૌતમ કોમ્પલેક્ષમાં રહેતા રેલવેના નિવૃત્ત કર્મચારી કિશોરભાઈ (ઉં.વ.65) છેલ્લા ઘણા સમયથી બીમાર હોય. જેનાથી કંટાળી જઈ તેમણે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી.

A retired railway employee committed suicide by falling under the train in Sihore

આ બનાવની જાણ થતાં રેલવે પોલીસે અને સિહોર પોલીસના કાફલાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. વધુમાં નિવૃત્તિ સુધી જીવનભર કિશોરભાઈએ જે ટ્રેનોમાં ટીસી (ટિકિટ ચેકર) તરીકે નોકરી કરી તેને જ મોતની સીડી બનાવી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Exit mobile version