Sihor
સિહોર ખાતે નેચરોપેથી સારવાર નિદાન કેમ્પનું આયોજન થયું – લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો
દેવરાજ
સિહોર જાયન્ટસ ગૃપ ઓફ દ્વારા આજે રવિવારના રોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી ફ્રી નેચરોપેથી સારવાર નિદાન કેમ્પનું આયોજન જે.બી. પંડ્યા ઔદિચ્ય છાત્રાલય ખાતે કરવામાં આવ્યું.



આ કેમ્પમાં 150 દર્દીઓએ લાભ લીધેલ આ કેમ્પમાં યોગદા નેચરોપેથી ક્લિનિક એન્ડ હીલિંગ સેન્ટર ના ડૉ. છાયાબેન સોની અને તેમની ટીમ દ્વારા અલગ અલગ મશીનો દ્વારા ફાયદાકારક સારવાર આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા જાયન્ટસ મેમ્બર પરેશભાઈ સોની હસ્તે દાતાશ્રી દ્વારા આ કેમ્પનો તમામ ખર્ચ ભોગવેલ આ કેમ્પને સફળ બનાવવા પ્રમુખશ્રી સમીરભાઈ બેલીમ સાથે રાજુભાઇ દેસાઈ, સુનિલભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ મણીયાર, રજ્જુભાઈ ગોરડિયા, અનિરુદ્ધભાઈ પંડ્યા, ડૉ. ભરતભાઈ ભટ્ટ, મધૂરભાઈ લાલાણી, હાર્દિકભાઈ મુનિ એ ખૂબ જ જહેમત ઉઠાવેલ અને કેમ્પને સફળ બનાવ્યો હતો