Sihor
સિહોર તાલુકાના નેસડા ગામે 10 લાખના ખર્ચે બનશે આધુનિક પક્ષીઘર ; ઝીણારામ મહારાજના હસ્તે ખાતમુહૂર્ત
સિહોર તાલુકાના નેસડા ગામે દાતા પરિવારના સહયોગથી આધુનિક પક્ષીઘરના નિર્માણનો પ્રકલ્પ હાથ ધરાયો છે. લાખ્ખોના ખર્ચે આધુનિક પક્ષીઘરનું નિર્માણ કરવામાં આવશે. ગગનમાં વિહરતા અને વૃક્ષો ઉપર નિવાસ કરતા પક્ષીઓને પણ એક ઘર હોય તો કેવુ સારૂ.
બસ આવો એક વિચાર ગ્રામ્યના છેવાડાના માણસને આવ્યો અને હજારો પક્ષી નિવાસ કરી શકે તેવુ ગગનચુંબી પક્ષીઘર તાલુકાના નેસડા ગામમાં રૂ. 10 લાખના ખર્ચે નિર્માણ પામ્યુ છે. પક્ષીઘરની આ ઇમારત નેસડા ગામની આગવી ઓળખ બનશે ત્યારે આજે સિહોરની સુપ્રસિદ્ધ મોંઘીબા જગ્યાના ઝીણારામ મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું
આ વેળાએ જીણારામ બાપુએ જણાવ્યું હતું કે, આજે પક્ષી ઓછા થતી જાય છે વૃક્ષો કપાતા જાય છે અને સીમેન્ટના જંગલો બનતા જાય છે ત્યારે પક્ષીઓના સંવર્ધન માટે આ પક્ષીઘર મહત્વની ભુમિકા ભજવશે. તેના નિર્માણ પછી નેસડા ગામની સુંદરતામાં વધારો થશે. આ પક્ષીઘરના નિર્માણમાં સમસ્ત ગામ સહયોગી બન્યું છે