Sihor
સિહોરના બુઢણાં ગામે આધેડનો શંકાસ્પદ હાલતે છત સાથે લટકતો મૃતદેહ મળ્યો ; હત્યાની આશંકા
પવાર – બુધેલીયા
આધેડના કપાળ તેમજ આંખના ભાગેથી લોહીની ધારા વહી હોય હત્યા કરાયાની ભારે ચર્ચાઓ, પોલીસ કાફલો દોડી ગયો, પોલીસ તપાસ બાદ હત્યા કે આત્મહત્યા તે ખરી હકીકત બહાર આવશે, ઘટનાને લઈ નાના એવા ગામમાં ચકચાર
સિહોર તાલુકાના બુઢણાં ગામે રહેતા અશોકભાઈ સવાણી નામના આધેડનો આજે બપોરના સમયે પોતાના ઘરની ઓસરીની છતના એક હુક સાથે લટકતી હાલતે મૃતદેહ મળી આવતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી. આધેડને કપાળ તેમજ આંખણાં ભાગેથી લોહીની ધારા વહી હોય ઘટના આત્મહત્યાની નહીં પણ હત્યાની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ અંગે સિહોર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ બાદ હત્યા કે આત્મહત્યા તે હકીકત બહાર આવશે પ્રાપ્ત વિગતો મુજબ મુળ બુઢણાના વતની અને અગાઉ સુરત સ્થાયી થયા બાદ છેલ્લા થોડા સમયથી બુઢણા પરત આવી રહેતા અશોકભાઈ સવાણી નામના આધેડનો આજે તેના ઘરની ઓસરીની છતના લોખંડના હુક સાથે લોહી લુહાણ હાલતે મૃતદેહ લટકતો મળી આવતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતીઅને લોકોણાં ટોળા ઉમટી પડ્યા હતા.
અશોકભાઈના ઘરની ઓસરીમાં તેમની પથારી અસ્તવ્યસ્ત હાલતે તેમજ ખાટલાથી છતના હુક સુધીના અંતર સુધી લોહીના ડાઘ તેમજ તૂટેલી રસ્સી પણ પડેલી હાલતે મળી આવી હતી, આ ઉપરાંત અશોકભાઈના શર્ટના ખીસ્સામાં મોબાઈલ પણ યથાવત રીતે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા સિહોર પોલીસના કાફલાએ દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ આત્મહત્યા છે કે હત્યા છે તે ખરી હકીકત બહાર આવશે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે