Sihor

સિહોર ખાતે જમીઅતે ઉલમા એ હિન્દ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Published

on

પવાર

સિહોર ખાતે જમીઅતે ઉલમા એ હિન્દ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સંસ્થાની આવેલી યાદીમાં જણાવ્યું છે કે આજ તા: ૨૬/૧/૨૦૨૩ ગુરૂવારે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગરના સહયોગથી ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જમીઅતે ઉલમા એ હિન્દ સિહોર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૩૩ રક્તદાતાઓએ રક્તદાન કર્યું.

A blood donation camp was organized by Jamiat Ulma e Hind at Sihore
A blood donation camp was organized by Jamiat Ulma e Hind at Sihore

મુહમ્મદ પયગંબર સાહેબે ફરમાવ્યું છે કે, લોકોમાં સર્વશ્રેષ્ઠ તે છે જે લોકોને ફાયદો પહોંચાડે.આ કેમ્પને સફળ બનાવવા જમીઅતે ઉલમા એ હિન્દ સિહોરનાં કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં જમીઅત ઉલમા એ હિન્દ સિહોર પરિવાર તમામ રક્તદાતાઓનો હ્રદયપૂર્વક આભાર માને છે. આ રક્તદાન કોઈ જરૂરતમંદ દર્દીનો જીવનદીપ ફરી પ્રજ્જવલિત કરવામાં ઉપયોગી બની રહેશે. આપ ભવિષ્યમાં પણ નિયમિત રીતે રક્તદાન કરતા રહો તથા અન્યોને માટે પણ આદર્શરૂપ બની સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા રહો એવી આશા વ્યકત કરી હતી

Exit mobile version