Sihor
10 ના સિક્કા, 5 ની નોટો ચલણમાં હોવા છતાં સિહોરમાં અસ્વિકાર
પવાર
આર.બી.આઈ.નાં નિયમો અને પરીપત્રોની ઐસી તૈસી ; વ્યવહાર સાચવવા ગ્રાહકો ચાલુ ચલણ આપે છે પરંતુ વેપારી વર્ગોની મનમાનીથી લોકો લાચાર
રીઝર્વ બેંક દ્વારા નાના વ્યવહારો સાચવવા રૂા. ૧૦ના સિક્કા અને રૂા. ૫ની ચલણી નોટો બહાર પાડી પરંતુ હાલનાં સમયે સિહોરનાં વેપારી આ ચલણ સ્વિકારવા સંમત નથી જો કે આર.બી.આઈ.એ આ મુદ્દે પત્ર પણ કરેલો છે છતાં તેનું પાલન હજુ સુધી થવા પામ્યું નથી. વેપારી સાથેના નાના વ્યવહારો સાચવવા રૂા. ૧૦ના સિક્કા કે પાંચની નોટો સાનુકુળ રહેતી હોય છે અને રાજ્યનાં અન્ય જિલ્લામાં આ ચલણ ચાલે પણ છે. પરંતુ સિહોરનાં વેપારી દ્વારા અગાઉ રૂા. ૧૦ના ક્સિક્કાની લેવડ-દેવડ બંધ કર્યા બાદ પાંચની નોટો સ્વિકારવાનું પણ બંધ કરી પોતાની મનમાની ચલાવી રહ્યાં છે.
નાના વેપારી મોટા વેપારીનું બહાનુ ધરી રહ્યાં છે. પરંતુ નાના ગ્રાહકોને રૂા. ૧૦ની વસ્તુ ખરીદવા ધરાર મોટી નોટ વટાવવી પડે છે અથવા ચુટા કરાવવા પડે છે પરંતુ જો આ રૂા. ૧૦ના સિક્કા ચલણમાં શરૂ કરાય તો ઘણા નાના વ્યવહારો સાચવી શકાય વેપારીની આ જોહુકમી સામે પરીપત્ર કરી આ ચાલુ ચલણ નો અસ્વિકાર કરનાર ગુનાને પાત્ર બને છે તેમ જાણવા છતાં કોઈ સુલેહ કે એકશન હજુ સુધી લેવાયા નથી. કેટલાક વેપારી પોતાનો ધંધો સાચવવા આવા સિક્કા લે છે તો મહિને બે મહિને અન્ય જિલ્લામાં વાપરી નાખે છે અથવા રેગ્યુલર અપડાઉન કરતા સંબંધીતે વટાવવા આપી પોતાનો વ્યવહાર સાચવવા મજબુર બને છે. ત્યારે ચાલુ ચલણ રાબેતા મુજબ બનાવવા પણ ચોકકસ વેપારી અને ગ્રાહકોની માંગણી ઉઠવા પામી છે.