Sihor

સિહોર કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર હિરલબેન બુધેલીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Published

on

લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના કાંગરા ખર્યા, વિરલબેન બુધેલીયા અને બુધેલીયા પરિવારનો વોર્ડ 8માં દબદબો રહ્યો, ગત ટર્મમાં વોર્ડ 8 માંથી ચૂંટણી લડ્યા અને સામા પ્રવાહે જીત્યા

પવાર
લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પક્ષપલટા પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી તરફ પક્ષપલટાનું વલણ રહ્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, તેવામાં હજી પણ પૂરજોશમાં પક્ષપલટો ચાલી રહ્યો છે. તેમાં ખાસ કરીને આપણા સિહોરમાં પણ અનેક કોંગ્રેસના કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને વિધિવત રીતે જોડાયા હતા. જેમાં વિશેષ રીતે સિહોર નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર રહી ચૂકેલા હિરલબેન બુધેલીયા તેમજ સિહોરના પત્રકાર દેવરાજભાઈ દુધેલીયાએ પણ ભાવનગર લોકસભાના સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ, વર્તમાનમાં ભાજપના લોકસભા ઉમેદવાર નિમુંબેન બામણીયા, ભાવનગર જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આરસી મકવાણા તેમજ ભરતભાઈ મેર સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત સિહોર કોંગ્રેસના અનેક કાર્યકરો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે વિરલબેન બુધેલીયા અને બુધેલીયા પરિવારનો વોર્ડ 8માં હમેશાં દબદબો રહ્યો છે. ગત ટર્મમાં વોર્ડ 8 માંથી ચૂંટણી લડ્યા અને સામા પ્રવાહે જીત્યા હતા. ચૂંટણી સમયે કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા છે જે હકીકત છે

Trending

Exit mobile version