Bhavnagar
શનિવારે વિશ્વ વિકલાંગ દિવસે ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે
દેવરાજ
- શહેરના કાળિયાબીડ ખાતે સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિવ્યાંગ વિશેષ, વિકલાંગ વિલચેર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું
ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિશ્વ વિકલાંગ દિવસ નિમીતે શહેરના કાળિયાબીડ ખાતે સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિવ્યાંગ વિશેષ, વિકલાંગ વિલચેર સહિતના કાર્યક્રમોનું આયોજન અને માહીતી અને માર્ગદર્શન સહીતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે કાળિયાબીડ ખાતે આવેલ નટરાજ કોલેજ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય મેહમાન અજયભાઈ રાઈ તેમજ અતિથિવિશેષ ગંભીરભાઈ આહીર પાર્થ યુવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના મેહુલભાઈ, મનસુખભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં શહેરમાં અને જિલ્લાના લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે વિકલાંગ દિવસનુ શું મહત્વ છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા અસંખ્ય વિકલાંગ લોકો સરકાર દ્વારા આપવામાં આવતા લાભો અંગેના ખાસ માર્ગદર્શન અપાશે તેમજ સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિવ્યાંગ વિશેષ, વિકલાંગ વિલચેર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે અહીં દિવ્યાંગ ના હક અને તક અધિકારો અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર તેમજ કાર્યક્રમમા વિંકલાંગોને પ્રોત્સાહીત કરવામાં આવશે