Bhavnagar
રેવતસિંહ ગોહિલ લોકો સાથે સીધા જોડાયેલા શેરી ગલીના કાર્યકર છે ; જયદીપસિંહ
પવાર
- લાંબો સમય જાહેર જીવનમાં રહી બેદાગ રહ્યા છે ; નિષ્ઠાવાન પ્રતિનિધિની છાપ ધરાવતા રેવતસિંહને તરફી જંગી મતદાન કરો ; જયદીપસિંહ ગોહિલ
પ્રમાણીક શિક્ષિત,રાષ્ટ્રપ્રેમી અને લોકસેવક એવા ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલનું લોકોનુ પ્રચંડ સમર્થન મળ્યુ છે. તેઓની વર્ષોની જાહેર જીવનની કારકિર્દી છે. ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સુધી કામ કર્યા પછી પણ વિપક્ષમાં રહીને પણ તેઓ બેદાગ રહ્યા છે. જાહેર જીવનમાં તેઓની છાપ નિષ્ઠાવાન અને પ્રમાણિત પ્રતિનિધિ તરીકેની હોવાનું જયદીપસિંહે જણાવ્યું હતું રેવતસિંહ શેરી ગલ્લીના કાર્યકર છે. હંમેશા લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નો, સમસ્યાઓ તથા વિકાસ કામો માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવેલ. તેઓ ભાવનગર ગ્રામ્યમાં પદયાત્રા, બાઇકરેલી, જાહેર સભા, ગ્રુપ મીટીંગો દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરેલ છે સામાજિક આગેવાનો, સંસ્થાઓના સંચાલકશ્રીઓ, ધાર્મિક સંતો, મહંતોના આશીર્વાદ લઇ પોતાના પ્રચારને ઘનિષ્ટ બનાવેલ હોવાનું જણાવેલ તેમજ રેવતસિંહમાં સમર્થનમાં જંગી મતદાન કરવા જયદીપસિંહે અપીલ કરી હતી