Bhavnagar
કોંગ્રેસની સરકાર આવશે તો રાંધણ ગેસનો બાટલો રૂા.500માં આપશે ; શક્તિસિંહ ગોહિલ
કુવાડિયા
- રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ બનેલું ખરીદ વેચાણ સંઘ ; સ્મૃતિ ઈરાની વડાપ્રધાનના માનીતા છે તેમ જણાવી શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા અનેક આક્ષેપ
મતદાન ને હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તળાજા પંથકમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં બાપા સીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી.સમય કરતાં બે કલાક મુખ્ય નેતાઓ મોડા આવ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગેસનો બાટલો રૂપિયા પાંચસો થી ભાવ વધશે નહિ.રાજ્ય સભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ ખરીદ વેચાણ સંઘ બની જાય છે.પરંતુ કનુભાઈ બારૈયા ન તો વેચાયા ન તો ડર્યા તેઓએ ગેસ નો બાટલો રૂપિયા પાંચસોમાં કરવામાં આવશે તેવી ખાતરી આપી ને સ્મૃતિ ઈરાની નીને યાદ કરી સ્મૃતિ ઈરાની પ્રધાનમંત્રી ના માનીતા છે ના વાક્યો ઉચ્ચાર્યા હતા. કનુભાઈ બારૈયાએ પોતાના સંબોધનમા તળાજાને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. મુખ્ય પ્રવકતા તરીકે છતિશ ગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ એ પોતાના વક્તવ્યમાં ખાસ હિન્દુ મુસ્લિમ ની એકતા ઉપર ભાર મૂક્યો હતો.મોંઘવારી,બે રોજગારી આ ડબ્બલ એન્જિનની સરકાર મા વધી છે.
આથી અહી ડબ્બલ એન્જિન ની સરકાર નહિ આવે.મીડિયાના સવાલના જવાબમાં જ્યાં ક્યાં સભાઓ કરીએ છીએ ત્યાં સ્વયં લોકો આવે છે. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ ની સરકાર બનશે પાલિતાણામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડના સમર્થનમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ જનસભાને સંબોધિત કરેલ. શક્તિસિંહ ગોહિલે ભાજપા કયા કયા મોરચાઓ ઉપર નિષ્ફળ રહી તેને ઉજાગર કરી આકરા પ્રહારો કર્યા હતા. ભાજપા સરકાર તમામ ક્ષેત્રમાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે હવે કોંગ્રેસની સરકાર બનશે જેમાં માત્ર લોકોનું જ ભલુ હશે. ગુજરાતમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ભાજપ કરી રહેલ છે. ભાવનગર લોકોને ભાવ આપે છે. પ્રેમ આપે છે. પરંતુ ભાજપના એક મોટા નેતા દિલ્હીથી વારાઘડીએ ઊડી ઊડીને ભાવનગર આવે છે છતાં તેને લોકો પ્રેમભાવ આપતા નથી તેમ છત્તીશગઢના મુખ્યમંત્રી ભુપેશ બુધેલ જણાવેલ. ભાજપના શાસનમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે ગેસના બાટલાના 400ના 1200 કરેલ છે.
ભાજપનો ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યોને ખરીદવા નીકળે છે, પણ કનુભાઇને ખરીદી ન શકયા : શકિતસિંહ ગોહિલ
તળાજામાં કોંગ્રેસની મોટી સભા યોજાઈ હતી. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતર્યા હતા. દરમિયાન તેમણે ભાજપ દ્વારા રાજયસભાની ચૂંટણી વખતે અન્ય પક્ષના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય છે તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજય સભાની ચૂંટણી વખતે ભાજપનો ખરીદ વેચાણ સંઘ આવે અને ધારાસભ્યોના ભાવ નક્કી થાય છે. ૨૫ કરોડ સુધી ભાવ જાય છે પણ તોય નથી વેચાયો તેવો તમારો ઉમેદવાર છે કનુભાઈ. તળાજામાં કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે જયારે રાજયસભાની ચૂંટણી આવે ત્યારે ખરીદ વેચાણ સંઘ ભાજપનો નીકળી પડે છે. ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યનો ભાવ બોલે છે. ૫ કરોડ, ૭ કરોડ, ૧૦ કરોડ અને જયારે ચૂંટણી નજીક આવી જાય ત્યારે ભાવ પહોંચે ૨૫ કરોડ રૂપિયા. તો પણ તળાજાના વર્તમાન ધારાસભ્ય કનુભાઈને ખરીદી શક્યા નથી. તેવું તેમણે કહ્યું હતું.