Connect with us

Bhavnagar

ભાવનગર : કેજરીવાલ ના આગમન પહેલા પોસ્ટરો પર કાળી શાહી લગાવાઇ

Published

on

bhavnagar-black-ink-applied-to-posters-before-kejriwals-arrival
  • કેજરીવાલ અને ભગવંત માન સભા પહેલા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટરો પર કાળી શાહી લગાવવામાં આવી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ભાવનગરની મુલાકાતે પહોંચ તે પહેલા આપના નેતાઓના પોસ્ટોર પર કાળી શાહી લગાવવામાં આવી છે. આપના પૂર્વ કાર્યકર્તાઓ દ્વારા કાળી જ કાળી શાહી લગાવવામાં આવી હતી શહેરના જુદા જુદા વિસ્તારમાં લાગેલા પોસ્ટરો પર કાળી શાહી લગાવી હતી ભાવનગરમાં આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલના આગમન પૂર્વે બેનરો પર કાળી શાહી લગાડાઈ છે.શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના બેનર લગાવવામાં આવ્યા છે. તો સાથે જ કાળી શાહીથી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ચહેરો ભૂસવામાં આવ્યો છે.

bhavnagar-black-ink-applied-to-posters-before-kejriwals-arrival

ત્યારે ભાવનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વાઘાવાડી રોડ પર લગાવવામાં આવેલા પોસ્ટર પર કાળી શાહી લગાવાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દોડતા થયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકઠા થઈને કાળી શાહીવાળા બેનરો હટાવ્યા હતા. આ ઘટનાથી આપના કાર્યકર્તાઓ નારાજ થયા હતા. કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના પોસ્ટરો પરથી કાળી શાહી હટાવી હતી. ત્યારે આ મામલે આપના પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ કહ્યું કે, પાર્ટીના નીતિ નિયમોથી વિરુદ્ધ ચાલતા અને મનમાની કરતા કાર્યકરોની પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!