Sihor
ભાઈની નારાજગી કોઈ કાળે ભાજપને પાલવે જ નહીં. તે સૌ કોઈ જાણે છે

મિલન કુવાડિયા
- શંખનાદ સમાચારોમાં વધુ એકવાર અગ્રેસર ; ભાવનગર ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકી ફરી રિપીટ
ગુજરાતના રાજકારણમાં દબંગ ગણાય તેવા નેતા આંગળીને વેઢે ગણાય એટલા છે. સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન રહી ચૂકેલા પરસોત્તમભાઈ સોલંકી આ કેટેગરીમાં આવે એ વાતનો ઈન્કાર કોઈ ન કરી શકે સૌરાષ્ટ્રના આ કોળી નેતાએ પોતાની વ્યક્તિગત તાકાત પર ગુજરાતના રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે અને એવી જગ્યા બનાવી છે કે કોઈ તેમને અવગણી ન શકે ભાવનગર જ નહીં સમગ્ર રાજ્યના કોળી સમાજના કદાવર નેતા પરસોતમભાઈ સોલંકીને ટિકિટ નહીં આપી નારાજ કરવાનું કોઈ કાળે ભાજપને પાલવે જ નહીં તે સૌ કોઈ જાણે છે આમ પરષોત્તમભાઈની ટિકિટ ફાઇનલ જ હતી.
તે વાત શંખનાદે અગાઉ પણ અનેકો વખત કહી છે ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી આજે ભાજપે તેમનું નામ જાહેર કર્યું ત્યારે ખાસ કોઈ નવાઈની વાત ન હતી. પૂર્વ ધારણાં મુજબ જ પરસોતમભાઈને ટિકિટ મળી છે. જોકે રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ તેમના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ મળે એ માટેના પ્રયાસોને વીફળતા મળી છે. ગુજરાતમાં રૂપાણી સરકારના વિસર્જન વખતે પરષોત્તમભાઈને પણ અન્ય દિગ્ગજોની સાથે મંત્રી પદ વિહોણા કરી દઈ ભાજપે હિંમત દર્શાવી હતી પરંતુ ટિકિટ ફાળવણીમાં પરષોત્તમભાઈની બાદબાકી શક્ય જ ન હતી. પરષોત્તમભાઈ અન્ય બેઠકો જીતવા ભાજપ માટે સફળતાની સીડી છે, છેલ્લા કેટલાક વર્ષમાં તેમનું કદ ઘટાડવાના પ્રયાસો સફળ રહ્યા નથી અને તેમની લોકપ્રિયતા કોળી સમાજ પરની પક્કડ મજબૂત છે આથી પરષોત્તમભાઈને ટિકિટ મળવી ફાઈનલ જ હતું, આજે થયેલી જાહેરાત માત્ર ઔપચારિક બની રહી હતી ઉલ્લેખનીય છે શંખનાદે અગાઉ કહી ચૂક્યું છે કે ગ્રામ્ય વિસ્તાર પરસોત્તમભાઈ રિપીટ થશે અને આજે તેજ થયું શંખનાદ વધુ એકવાર સમાચારોમાં અગ્રેસર રહ્યું છે