Connect with us

Umrala

ઉમરાળા આદર્શ આચારસંહિતાનો ખુલ્લે આમ ભંગ ; રાજકીય લખાણો સિમ્બોલ જોવા મળ્યા

Published

on

an-open-violation-of-umralas-ideal-code-of-conduct-political-writings-symbols-found

નિલેશ આહીર

  • તંત્રની કામગીરી સામે સવાલો, ચૂંટણી જાહેર થયાના 6 દિવસ થયા છતાં રાજકીય પાર્ટીઓના સિમ્બોલ જોવા મળ્યા, આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ

વિધાનસભાની ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે આદર્શ આચરસંહિતા લાગુ પડતા જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલી છે. જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના મુજબ જિલ્લા આદર્શ આચરસંહિતા અમલવારી સમિતિના અધિકારીઓ દ્વારા સરકારી-જાહેર અને ખાનગી ઈમારતો પર લખાયેલા રાજકીય લખાણો, પોસ્ટર અને બેનર, જાહેરોત દૂર કરવાની કામગીરી શરુ છે.

an-open-violation-of-umralas-ideal-code-of-conduct-political-writings-symbols-found

તાલુકા કક્ષાએ પણ આદર્શ આચરસંહિતા લાગુ થયાના 6 દિવસ પછી આદર્શ આચારસંહિતા હેઠળ જાહેર મિલકતોમાંથી પોસ્ટર, બેનર, રાજકીય લખાણો જાહેરાતો દૂર કરવામાંની કામગીરી પૂર્ણ થઇ જવી જોયે પરંતુ હજુ ઉમરાળા વિસ્તારોમાં 6 દિવસનો સમયગાળો વીતી ચુક્યો છે અને આદર્શ આચરસંહિતાનો ભંગ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યો છે.

an-open-violation-of-umralas-ideal-code-of-conduct-political-writings-symbols-found

તો શું મતદાન સમયે રાજકીય લખાણો, પોસ્ટર અને બેનર, જાહેરોત દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે શા માટે વહીવટી તંત્ર દ્વારા રાજકીય લખાણો, પોસ્ટર અને બેનર, જાહેરોત દૂર કરવાની કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે શુ ચૂંટણી અધિકારી દ્વારા ઉમરાળા તંત્ર સામે કડક અમલવારી કરવામાં આવશે કે નહિ તે તો હવે જોવાનું રહ્યું

error: Content is protected !!