Connect with us

Sihor

સિહોર બાદ ભાવનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા ; અઢી લાખના માલસામાનની ચોરી

Published

on

After Sihore, smugglers struck a closed house in Bhavnagar; Theft of goods worth two and a half lakhs

Pvar

ગઇકાલે સિહોર પંથકમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ ભાવનગર શહેરના આખલોલ જકાતનાકાના ઇન્દીરાનગર-દરબારગઢ વિસ્તારમાં ગત તા રાત્રીના કોઈ સમયે એક બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનના દરવાજા તોડી ઘરમાં પ્રવેશી ઘરની તિજોરીમાં રહેલા દોઢ લાખ રૂ. રોકડા તેમજ સોનાચાંદીના દાગીના મળી કુલ અઢી લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગેની જાણ પરિજનોને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ આ બનાવમાં પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના આખલોલના ઇન્દીરાનગર-દરબારગઢ વિસ્તારમાં રહેતા બળદેવસિંહ જીવુભાઝાલા કે જેઓ પોતાના સાસરે પ્રસંગે હોય જેથી નાગધણીમ્બા ખાતે ગયા હોય ત્યારે તેના બંધ મકાનમાં ગત રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ આ મકાનને નિશાન બનાવતા મકાનમાં તાળા તોડી ઘરના પ્રવેશ કરી ઘરની તિજોરી તોડી તિજોરીમાં રહેલા રોકડા રૂ.દોઢ લાખ તેમજ સોનાચાંદીના દાગીના મળી કુલ આશરે અઢી થી ત્રણ લાખની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ ઘટના બળદેવસિંહના ભાઈ જયવીરસિંહ ભાઈ બાજુમાં જ રહેતા હોય તેના જાણ થતા તાકીદે તેના ભાઈને તથા પોલીસને જાણ કરી હતી. જયારે આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને આ ચોરીની ઘટનામાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!